ડિજિટલ ઈન્ડિયાના અભિયાનથી દલાલ અને વચેટિયાઓ પરેશાન છે- મોદી
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મ દીએ શુક્રવારે નમો એપની મદદથી દેશભરના ડિજિટલ ઈન્ડિયાના લાભાર્થીઓને સંબોધિત કર્યાં. આ દરમિયાન તેઓએ કહ્યું કે ડિજિટલ ઈન્ડિયાનો પહેલેથી જ સંકલ્પ રહ્યો છે કે દેશના સામાન્ય વ્યક્તિ, યુવાનો, ગ્રામીણોને ડિજિટલ સાથે જોડવા, તેઓને ડિજિટલ સશક્ત કરવા. મોદીએ કહ્યું કે છેલ્લાં 4 વર્ષમાં અમે ડિજિટલ સશક્તિકરણના દરેક પાસા પર વિશેષ ધ્યાન આપ્યું છે. તેના માટે લગભગ ત્રણ લાખ કોમન સર્વિસ સેન્ટર પણ ખોલવામા આવ્યાં છે.
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें